વેલનાથ દાદા ભૈરવજંપે સમાધિસ્ત થઇ ગીરનારમાં જ સમાય ગયા.

 

ભૈરવજંપ ગીરનાર

ભૈરવજંપ ગીરનાર

જુનાગઢ ભવેશ્વર પાસેના આશ્રમે આવી માતા-પિતાના ચરણ વંદન કર્યા. લાંબા તીર્થાટન પછી વેલનાથના આવવાથી માતા અમરબા ખુબ ખુશ થયા અને બોલ્યા દિકરા હમણા તારે અમારાથી દૂર જાવાનુ ટાળવુ કેમકે અમારે આવતી અગીયારસે દેહ છોડવાનો છે. અમારે બને એટલુ પ્રભુ ભજન કરવુ છે. આશ્રમની બધીજ જવાબદારી બાપુએ પોતાના ઉપર લઇ લીધી. સમય જતા ક્યાં વાર લાગે છે. અગીયારસના પવિત્ર દિવસે અમરબા અને ભગત બોધાજી ભવનાથ દાદા ના દર્શન કરી, હાથમાં શ્રીફ્ળ લઇ પદ્માસન વાળી નમઃ શિવાય નો જાપ જપતા જપતા બરાબર બાર ના ટકોરે મધ્યાહન સમયે દેહ છોડ્યો. બંને વહુઓ અને હાજર સ્વજનો રડવા લાગ્યા. વેલનાથ બાપુએ સર્વેને સાંત્વના આપેવ શાંત કર્યા. માતા પિતાના પાર્થીવ દેહને આશ્રમમાં અગ્ની દાહ આપ્યો. ત્યાર પછી બારમાં દિવસે ભંડારો કર્યો અને ગીરનારના સર્વ સાધુ સંતો ભંડારામાં પધાર્યા. સતત ત્રણ દિવસ સુધી ભંડારાનુ કાર્ય ચાલુ રહયુ.

પૂજ્ય અમરમાં અને પૂજ્ય બોઘાજી પોતાનું દુનિયામાં આવવાનું કામકાર્ય અને ૠણાનુબંધ પુરુ થતાં સ્વધામ ગમન કર્યા બાદ. વેલાવડની જગ્યામાં વેલનાથ બાપુ અને મીણામાં તથા જશુમાં પોતાના શિષ્ય ગણ સાથે રહી આશ્રમમાં અવતા દરેક્ની પુર્ણ ભાવથી સેવા કરે છે. વેલનાથ બાપુ બંને સહધર્મચારીણી પત્નીઓને શિખામણ આપે છે કે આપણું દુનિયામાં આવવાનું પ્રયોજન પુરુ થયું છે. તેથી થોડા સમયમાં સ્વધામ ગમન કરવાનો સમય આવવાનો છે. માટે જેટલું બને તેટલું ભગવાનનું ભજન પુરા ભાવથી કરી પરમાત્મા સ્વયં લેવા આવે તેમ જીવન ઉજ્જવળ બનાવી દો. મીણાબા અને જશુબા બન્ને વેલનાથ બાપુનાં આદેશ ને માથે ચડાવી તે પ્રમાણે વર્તવા લાગ્યા. અને કહ્યુ કે જ્યારે સ્વધામ જવાનુ થાય ત્યારે અમને કેહશો ત્રણેય સાથેજ પરિયાણ કરીશું.

વેલનાથ બાપુની હરેક મહેચ્છાઓ અને ઋણાનું બંધ પૂર્ણ થઇ ગયા છે. કાંઇપણ ફરજનું કાર્ય બાકી નથી. તેથી મન ઉદાસ બની ગયુ છે. તેથી પોતે પદ્માસન વાળી અંતીમ ધ્યાનમાં પ્રવૃત થઇ ગયા. ધ્યાનમાં આખી રાત્રી પસાર કરી નાખી. પરોઢીયે ગુતુદત્ત પોતાના ઇષ્ટદેવનો આદેશ સાંભળ્યો. વેલનાથ ! તારું કાર્ય પુર્ણ થયું છે. શ્વાસોશ્વાસ પણ સૂર્ય ઉગતાજ પુરા થઇ જશે. તો તું ગીરનાર પર ભૈરવજપ માંથી સૂર્ય ઉગતાજ શરીર છોડી દેવા આવીજા અમે તારી રાહ જોતા નીચે ઉભા છીએ.

વેલનાથ બાપુએ હાથ જોડી આદેશ માથે ચડાવી બોલ્યા- પ્રભુ હું તૈયાર છું. પરંતુ અમો ત્રણી સાથે આવવાનું નક્કી કરેલ છે. આકાશમાંથી અવાજ આવ્યો મીણા અને જશુ બન્નેના એક દિવસના શ્વાસોશ્વવાસ અને અવધિ બાકી છે. તેથી બીજા દિવસે તેમને લેવા આવવાનું છે. તેમને લેવા તું પણ સાથે આવીશ.

વેલનાથ બાપુ તરત ઉભા થઇને પોતાની નિત્યક્રિયા પતાવી આશ્રમવાસીઓને મૂક આશીર્વાદ આપી ગીરનાર પર્વત પર ચાલી નિક્ળ્યા. બન્ને પત્નીઓને મળવાનો સમય નોહતો આથી વગર કહ્યે ચાલી નીકળી ગીરનાર પર્વતના પગથીયા ઝડપથી ચડવા લાગ્યા કારણ સમય ઓછો હતો.

વેલનાથ બાપૂ સૂરજ ઉગતા પેહલા અંબાજીનાં મંદિર પોહચી ગયા. મંદિરમાં જઇ અંબાજી વંદન કર્યા અને બોલ્યા છેલ્લા વંદન કરવા આવ્યો છું માં મને સંસારમાંથી જવા માટેની રજા આપો. જગદંબા અંબાજીના શ્રી વિગ્રહ ઉપર ગુલાબનુ ફુલ હતુ તે નીચે પડ્યુ. જેથી વેલનાથ ખુબ ખુશ થયા કે માં રજા અને આશીર્વાદ બન્ને આપી દીધા. પછી મંદિરની બહાર નિક્ળી વેલનાથ પાછળ આવેલ ભૈરવજંપની જગ્યાએ આવ્યા. ત્યાં બરોબર સૂર્યનું કિરણ ફુટ્યું. વેલનાથ બાપુ બોલ્યા હે દિવ્ય ભાસ્કર હું આપને બે હાથ જોડી વંદન કરુ છું. તમે સૃષ્ટીના પ્રત્યક્ષ દેવ છો. હે દેવ હું અવની પરથી જવા વિદાય માંગુ છું. ત્યાંજ સુર્યનારાયણ ભગવાન પુર્ણ પ્રકાશીત થયા અને પોતાના કિરણોનો પુર્ણ પ્રકાશ ફેકી વેલનાથને આશીર્વાદ આપ્યા. બરાબર છેલ્લો શ્ર્વાસ ભરી ગુરુદતને યાદ કરી વેલનાથજીએ ભૈરવજંપ પરથી પડતુ મુકી દીધું. પોતાને આત્મા તેજપુંજ સ્વરુપે શરીરમાંથી નીક્ળી ભગવાનના પરમધામ પોંહચી ગયો અને શરીર અદ્રશ્ય થઇ ગયું. આમ વેલનાથ દાદા ભૈરવજંપે સમાધિસ્ત થઇ ગીરનારમાં સમાય ગયા.



સવાર પડી મીનાબા તથા જશુબા બંન્ને બહેનો આશ્રમમાં જાગૃત થયા. નિત્ય ક્રિયા પતાવી વેલનાથબાપુના દર્શન કરવા તેના ક્ક્ષમાં ગયા પણ વેલનાથ ક્યાંય મલ્યા નહિ. તેને વેલનાથ બાપુની વિદાયનો અંસાર આવી ગયો. બન્ને બેહનો અક્ળી ઉઠ્યા કે બાપુ સાથે જવાનુ વચના આપી એક્લા ચાલ્યા ગયા, તેના અંતરનો અવાજ ગળગળો થઇ ગયો. આંખમા શ્રાવણ ભાદરવાની જેમ આંસુ ચાલુ થયા અને સતત વેલનાથ દાદાને પ્રાથના કરવા લાગ્યા. મીણામાં અને જશુમાં ની પ્રાથના સાંભળી વેલનાથ ત્યાં આશ્રમમાં પ્રગટ થયા. બન્ને પત્નિઓને આશ્વાસન આપ્યુ અને બોલ્યા કે તમારા એક દિવસના શ્વાસ હજુ બાકી હતા આથી મારે એક્લુ જવુ પડ્યું. પણ હવે ચિંતાનુ કોઇ કારણ નથી હું મારા આપેલ વચનને પાળવા આવ્યો છું. ત્યાંજ ભગવાન ગુરુદત્ત પધાર્યા, મીણાબા, જશુમા અને વેલનાથ દાદાએ તેમને નમન કર્યા. ભગવાન બોલ્યા આપનુ અવતારી કાર્ય પુર્ણ થયુ છે હવે તમે પરમધામ તરફ પ્રયાણ કરો, મારા આશીર્વાદ તમારી સાથે છે.

મીણાબા અને જશુમાં પૃથ્વી માતાને પ્રાથના કરે છે. હે જગત જનની માતા જો અમે તન મન ધનથી પતિવ્રત ધર્મનું સાંગોપાંગ પાલન કર્યુ હોયતો અમને તમારા ખોળે આશરો આપો. અમારા શરીરને તમારામાં સમાવી લો. તરત ત્યાં પૃથ્વીના બે ભાગ થયા અને બન્ને બેહનો તેમા સમાય ગયા. આમ મીણાબા અને જશુમાં વેલાવડની પવિત્ર જગ્યામાં સમાધિષ્ટ થયા. તેમની સમાધિ તેમની સાક્ષી પુરતી આજે પણ હયાત છે.

 https://www.facebook.com/profile.php?id=100092698290234

જય વેલનાથ જય માંધાતા ઠાકોર સેના ગ્રુપ

 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

ગિરનારી સંત શ્રી વેલનાથ બાપુએ ચીપિયાથી ગાળેલ વાવ

ગિરનારી સંત શ્રી વેલનાથ બાપુએ ચીપિયાથી ગાળેલ વાવ   https://www.facebook.com/profile.php?id=100092698290234 જય વેલનાથ જય માંધાતા ઠાકોર સેના ગ...