સંતશ્રી વેલનાથનબાપુનુ વેવિશાળ

              
સંતશ્રી વેલનાથનબાપુ

 વેલનાથ ગુરૂના આશીર્વાદ મેળવી એમની ચરણ રજ માથે ચડાવી પોતાના ગામ પાદરીયા પાછા પધારે છે. ઘરે આવતા માતા પીતાને ખુબજ આનંદ થાય થાય છે. વેલનાથ માતા પીતાને પગે લાગી આશીર્વાદ મેળવે છે. થોડા દિવસો વિત્યા બાદ માતા અમરબા વેલનાથને કહે છે કે બેટા ! અમે હવે તારા લગ્નનો લાહવો લેવા માંગીએ છીએ. જો તું હા પાડે તો તારા બાપુ સબંધ માટે સગા સબંધીમાં પુછતાછ કરી સંસ્કારી ક્ન્યા મળી જાય તો સબંધ કરી લગ્ન કરીએ. બીજે દિવસે ભગત બોધાજી પલાસવા જઇ તેના જુના મિત્ર નારાયણ માંડવીયાજીને મળ્યા. નારાયણજી ખુબજ ખુશ થાય છે. નારાયણજીએ બોઘાજીની પુરી મહેમાનગતી કરી. રાત્રે વાળુ કરી બન્ને મિત્રો વીતેલા જીવનની વાતો કરે છે. બોઘાજી વેલનાથના વેવીશાળ માટે કોઇ સુશીલ ક્ન્યા હોય તો ધ્યાન આપવાનું કહે છે. આથી નારાયણજી કહે છે કે માંડવડમાં લાખાજી ઠાકોરનું કુટુંબ બહુ સંસ્કારી છે. તેમની બે દિકરીઓ લગ્ન કરવા યોગ્ય થઇ ગઇ છે. તથા તેમની પણ મને ભલામણ છે કે કોઇ વિવાહ યોગ્ય મુરતીયો બન્ને દિકરીઓ માટે બતાવે. લાખાજી નું કુટુંબ અને ક્ન્યાને જોઈ જો એક બીજાને યોગ્ય લાગે તો તો આપણે વેવીશાળ કરીએ. સવાર થતા બન્ને મિત્રો માંડવડ જાય છે. આંગતુગ મહેમાન આવવાથી લાખાજી રાજી થયા. બન્ને મિત્રોની ખુબજ સારી રીતે મહેમાનગતી કરી. બોઘાજીને લાખાજીનું ઘર ખુબ સંસ્કારી લાગ્યુ અને દેવીઓ જેવી દિકરીઓને જોઇ બોધાજીને આનંદ થયો. બોધાજી નારાયણજીને શાનમાં કહી દે છે કે મને ધરની દિકરીઓ પસંદ છે. નારાયણજી લાખાજીને કહે છે કે મારા મિત્ર બોઘાજી મકવાણા ને તમારી દિકરીઓ નુ તેના દિકરા વેલાજી માટે સબંધ લઇ આવ્યા છીએ. તમે પાદરીયા પધારો જો તમને યોગ્ય લાગે તો વેવિશાળ કરીયે. લાખાજીએ વેલનાથના સત્સંગની પ્રશંશા ઘણી સારી સાંભળી હતી, તેથી ખુશ થઇને કહે છે કે મારે ઘર જોવાની જરુર નથી. તમે કરો તે ઇશ્વર કરે તે બરાબર છે. આમ લાખાજી ઠાકોરની બન્ને દિકરીઓ મીણાબાઇ અને જશુબાઇ સાથે વેલનાથનુ વેવિશાળ નક્કી કરી રૂપીયો નાળીયેર આપ્યા અને થોડો સમય બાદ બન્ને દિકરીયોના ધામધુમથી લગ્ન કરી પાદરીયા વળાવી.

મીણાબાઇ અને જશુબાઇ ધરમાં આવી સાસુંમાના પગમાં પડી વંદન કરે છે. અમરબા માથે હાથ મૂકી ઓવારણા લે છે. અમરબાને અતિ આનંદ થયો. પુત્ર જેવો ગુણવાન હતો તેવીજ વહુઓ સ્વરૂપવાન અને સનાતન ધર્મના પુરા સંસ્કારવાળી હતી. અમરબા બંને સુજ્ઞ વહુઓને દરરોજ બોપરના સમયે પોતાનુ જીવન ઉન્નત બનાવવા માટે પરમાર્થીક ઉપદેશો આપે છે. સમયે વેલનાથ પોતાની ગાયો ચરાવા સવારથી જંગલમાં જતા અને પ્રકૃતીના અલ્હાદક વાતાવરણમાં, નિઃરવ શાંતિમાં બેસી ઇશ્વરનું ધ્યાનમાં તલ્લીન થય જતા. એક દિવસ વેલનાથ ફરતા ફરતા ટીંબડી નામના ગામે પોંહચી સદાચારી અને સ્તસંગી જીવન જીવતા કુંભાર પુંજા ભગતને ત્યાં આવે છે. ડેલીએ આવીને આદેશ શબ્દ બોલતા સામે પુંજા ભગત ઉભા થઇ બોલ્યા આદેશ ગુરુદેવ પધારો. વેલનાથ બાપુને બેસવા માટે આસન આપ્યુ. ગામમાં વાતની ખબર પડતા ઘણા માણસો બાપુનો સત્સંગ અને દર્શન કરવા એક્ઠા થયા. થોડીવારમાં પુજા ભગતના ધેર માનવ મેહરામણ ઉમ્ટયુ. લોકો વેલનાથનો સત્સંગ સાંભળવા કલાકો સુધી બેસી ગયા. પુંજા ભગતને ત્યાં બાપુ બે દિવસ રોકાણા. બીજો દિવસ પુરો થતા પુંજા ભગતે બાપુ પાસે આવીને કહ્યુ કે બાપુ! હજુ સુધીમે ગુરુ ધાર્યા નથી, તો આપ મારા ગુરુ થાવ અને મને ભવસાગર તરવાનો રસ્તો દેખાડો.

વેલનાથ બોલ્યાઃ ભગત! તમે પુરા જીજ્ઞાસુ અને સદાચારી છો. ગુરુ સ્વયં પરમાત્મા છે તેજ માનો તેજ સર્વના ગુરુ છે. પરંતુ સનાતન ધર્મની ધજા ફરકતી રાખવા તથા જીજ્ઞાસુ જીવને ચૈતન્યતા આપવા હું ક્ટીબધ્ધ છું. વેલનાથ બાપુએ પુંજાભગત કુંભાર ને પોતાના શીષ્ય બાનાવ્યા. બાપુએ કહ્યુ કે લોકોનુ ક્લ્યાણ થાય તેવુ કામ કરજો. આશરો રામનામનો મોટો છે. આંગણે આવેલા અભ્યાગતો, સાધુ-સંતોને રોટલો આપી તેની સેવા કરજો. આમ વેલનાથબાપુ ત્રીજા દિવસે રજાલઇ તીર્થાટન માટે ચાલી નીક્ળ્યા


https://www.facebook.com/profile.php?id=100092698290234

જય વેલનાથ જય માંધાતા ઠાકોર સેના ગ્રુપ

x

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

ગિરનારી સંત શ્રી વેલનાથ બાપુએ ચીપિયાથી ગાળેલ વાવ

ગિરનારી સંત શ્રી વેલનાથ બાપુએ ચીપિયાથી ગાળેલ વાવ   https://www.facebook.com/profile.php?id=100092698290234 જય વેલનાથ જય માંધાતા ઠાકોર સેના ગ...